Thursday, September 1, 2011

અગમ અગોચર એંધાણી

સંત કબીર
સદગુરુ નિરવાણી, અરે મુક્તિ ભરે છે પાણી. (ટેક)

અષ્ટસિદ્ધિ નવ નિધિ કરે મજૂરી, મોર વિધાતા સણી રે (૨)
ચંદા સૂરજ દોનું ભયે સંગાથી(૨) સુરતી સેજ સમાણી. સદ્...

ચાર વેદ ને વ્યાકરણ વાણી, અષ્ટ દશ પુરાણી રે (૨)
તે પણ ઈચ્છે અગમ અગોચર (૨), નિગમ નેતિ વખાણી. સદ્...

ધર્મ અર્થ ને મોક્ષ મુક્તિ પદ, બેલ ફરે જેમ ઘાણી રે (૨)
સત્ય ભક્તિ બીન ચાર પદારથ, કાગ  વિષ્ટા લપટાણી. સદ્...

વર્ણાશ્રમ ને ભેદ અભેડા, ગગને લહેર સમાણી રે (૨)
કહત 'કબીર' સુનો ભાઈ સાધો, અગમ અગોચર એંધાણી.

સદગુરુ નિરવાણી નિરવાણી, અરે મુક્તિ ભરે છે પાણી.

No comments:

Post a Comment