Tuesday, January 31, 2012

पितृ देवो भवः।


પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?
 માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે,
પણ ઘરના  અસ્તિત્વને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???
 
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.  
  
  કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે,
  દેવ-દેવીઓએ પણ માતાના  ગુણગા ગયા છે. લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
  સારી વસ્તુને માતાની  ઉપમા પવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
  
  કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકી છે પણ તે
  ઉગ્રવ્યસની અને મારઝૂડ કરનારા  હોય છે.
  આવા પિતા સમાજમાં એકાદ-બે ટક હશે જ પણ સારા પિતા વિષે શું લખાયુ છે ?????
  
  માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
  માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે.
  અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણ કે,
   દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને !!!!! પણ શ્રેય તો હમેશા દીવાને જ મળે છે.
 
  રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
  પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????
 
  બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ
  રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
  માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
   પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,  કારણ કે
  નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે,  પોતાની માતા મૃત્યુ પામે તો પણ
  પિતા રડી શકતા નથી. કારણ કેબહેનને આધાર આપવાનો હોય છે.
  પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ
  પિતા એજ કરવાનું હોય છે.
 
  જીજાબાઇએ  શિવાજીને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે
  શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
 
  દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર
  બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
 
  રામ  કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
  
  પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
  તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે .
  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર ેખાડે છે.
  દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ  વાપરશે.
  સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ ેમના જ ઘરના
  પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી રી લેશે.
  ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.
 
  પિતા માંદા પડે ત્યારે તરત જ  દવાખાને  જતા નથી.
  તે માંદગીથી ડરતા નથી... પણ  ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે
  તો શું કરવું તેનો ડર લાગે છેકારણ કે
  દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ ાધન હોતું નથી. 
  પહોચ  હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
   ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,
   પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે
  અને જે પિતા પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.
 
  પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.
  જે ઘરમાં પિતા હોય છેતે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.
   કારણ કેઘરના કર્તા-હર્તા જીવંત છે.
  જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે.
  અને ઘરના કામ જુવે છેસંભાળે છે.
 
  માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે,
  પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.
  કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે. કારણ કે,
  બાજુમાં લે છેવખાણ કરે છેઆશિષ આપે છેપણ....
  ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
 
  બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે.
  પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના
  પિતાની કોઈ નોંધ લેતું નથી.
 
  દાઝી ગયાઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  ઓં માં  આ શબ્દો મોઢામાંથી બ્હાર પડે છે,
  પણ રસ્તો ઓળંગતા.. એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારે તો  બાપ રે
   આજ શબ્દ બ્હાર પડે છે.
 
  નાના સંકટો માટે  મા ચાલે પણ મોટી સમસ્યાઓના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
  
  કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,    પણ મરણના પ્રસંગે....પિતાએ જ જવું પડે છે.
 
  પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે,
  તો ભલે.. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડેતે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
 
  યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે... પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
 
  દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,
   દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,
  ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ???
 
  પિતાનું મહત્વ કોને સમજાય છે ?????
  બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે.
  તેને એક-એક વસ્તુ માટે તરસવું પડે છે.
  પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘરની દીકરી !!!
   સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે
  પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
  
  કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી
  ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ???
  દીકરી પિતાને ઓળખે છેસાચવે છે.
  બીજાઓ પણ પોતાને આ રીતે જાણેઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ???
  આપણી પાસે તો થોડા ઉત્સવો છેજેને ઉજવતી વખતે માતા-પિતાને યાદ કરી લઈએ.
   તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ
  અને આપણા જ સંસ્કારધર્મનાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ
  આપીને યથા-શક્તિ પિતૃ તર્પણ કરીએ.......
        पितृ देवो भवः।

Thursday, January 26, 2012

Happy Republic Day 2012


Happy Republic Day 
2012
..-._.–.
‘-., .’
_-’ I ‘-._ _.._
._.-.’ LOVE ‘ -’ .-’
‘._/| MY , ‘;’-
‘. INDIA /
‘. .’
‘.,_,.’
Jai Hind.

“VANDEMATARAM”
HAPPY REPUBLIC DAY..

Bharat maa ko apne dil mein basaye rakhna
Deshbhakti ki bhawna apne dil mein jagaye rakhna
Lahu deker paya hai humne jise
Aise TIRANGE ko apne dil se lagaye rakhna
Happy Republic Day

:)

JAY HIND

Wednesday, January 25, 2012

जीवन की सच्चाई


जीवन की सच्चाई 

      • जिस तरह कीड़ा कपड़ो को कुतर डालता है,उसी तरह इर्ष्या मनुष्य को
      • क्रोध मुर्खता से शुरू होता है और पश्चाताप पर खत्म होता है
      • नम्रता से देवता भी मनुष्य के वश में हो जाते है
      • सम्पन्नता मित्रता बढाती है, विपदा उनकी परख करती है
      • एक बार निकले बोल वापस नहीं आ सकते, इसलिए सोच कर बोलो
      • तलवार की धार उतनी तेज नहीं होती, जितनी जिव्हा की
      • धीरज के सामने भयंकर संकट भी धूएं के बादलों की तरह उड़ जाते है
      • तीन सचे मित्र है - बूढी पत्नी, पुराना कुत्ता और पास का धन
      • मनुष्य के तीन सद्गुण है - आशा, विश्वास और दान
      • घर में मेल होना पृथ्वी पर स्वर्ग के सामान है
      • मनुष्य की महत्ता उसके कपड़ो से नहीं वरण उसके आचरण से जानी जाती है
      • दूसरों के हित के लिए अपने सुख का भी त्याग करना सच्ची सेवा है
      • भूत से प्रेरणा लेकर वर्त्तमान में भविष्य का चिंतन करना चाहिए
      • जब तुम किसी की सेवा करो तब उसकी त्रुटियों को देख कर उससे घृणा नहीं करनी चाहिए
      • मनुष्य के रूप में परमात्मा सदा हमारे साथ सामने है, उनकी सेवा करो
      • अँधा वह नहीं जिसकी आंखे नहीं है, अँधा वह है जो अपने दोषों को ढकता है
      • चिंता से रूप, बल और ज्ञान का नाश होता है
      • दूसरों को गिराने की कोशिश में तुम स्वयं गिर जाओगे
      • प्रेम मनुष्य को अपनी तरफ खींचने वाला चुम्बक है