|
**शुभ मंगलम्**
भजन, लोकगीत, भक्ति गीत, प्रार्थना,...इत्यादि का संकलन
Thursday, May 10, 2012
Batu Caves - Malaysia
Sunday, March 25, 2012
PRACTICE SAFE USE OF HONEY
મધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે.રોજ સાચી રીતે લીધેલ મધ હેલ્થ માટે સારું છે પણ મધના ઉપયોગના માત્ર ફાયદાઓ જ નહીં પણ નુકસાન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ મધનો ઉપયોગ કરો આવે તો આટલું ધ્યાન જરૂર રાખો.
- ચા, કૉફીમાં મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. મધની સાથે તેનું સેવન ઝેર સમાન કામ કરે છે.
- જામફળ, શેરડી, દ્રાક્ષ, ખાટા ફળોની સાથે મધ લેવું ઉત્તમ અમૃત છે.
- શરીર માટે આવશ્યક લોહ, ગંધક, મેગ્નીઝ, પોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો મધમાં હોય છે.
- એક મોટા ચમચી મધમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.
- કોઇ રીતે તમને મધ સુટ ના કરે કે તેને ખાઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હો તો એક લીંબુ ચુસી લો. તેની અસર ઘટી જશે.
- મધને ક્યારેય ગરમ કરી ઉપયોગ ન કરો. પાણી ગરમ કરી તેમાં મધ ઉમેરો પણ મધને ગેસ પર મુકશો નહીં.
- માંસ, માછલીની સાથે મધનું સેવન ઝેર સમાન છે.
- મધમાં પાણી કે દૂધની બરાબર માત્રા પણ હાનિકારક છે.
- ખાંડની સાથે મધ ભેળવવું એ અમૃતમાં ઝેર ભેળવવા સમાન છે.
- ઠંડીમાં મધને નવશેકા દૂધ કે પાણીમાં લેવું જોઇએ.
- એક સાથે વધારે માત્રામાં મધ ના લો. આમ કરવું નુકસાનકારક હોય છે. મધ દિવસમાં બે કે ત્રણ વાર એક ચમચી લો.
- ઘી, તેલ, માખણમાં મધનો ઉપયોગ વિષ સમાન છે.
Subscribe to:
Posts (Atom)