PRACTICE SAFE USE OF HONEY
'અમૃત' જેવા મધ નો ખોટો ઉપયોગ, શરીરમાટે 'ઝેર' બની જશે.
મધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે.રોજ સાચી રીતે લીધેલ મધ હેલ્થ માટે સારું છે પણ મધના ઉપયોગના માત્ર ફાયદાઓ જ નહીં પણ નુકસાન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ મધનો ઉપયોગ કરો આવે તો આટલું ધ્યાન જરૂર રાખો.
- ચા, કૉફીમાં મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. મધની સાથે તેનું સેવન ઝેર સમાન કામ કરે છે.
- જામફળ, શેરડી, દ્રાક્ષ, ખાટા ફળોની સાથે મધ લેવું ઉત્તમ અમૃત છે.
- શરીર માટે આવશ્યક લોહ, ગંધક, મેગ્નીઝ, પોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો મધમાં હોય છે.
- એક મોટા ચમચી મધમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.
- કોઇ રીતે તમને મધ સુટ ના કરે કે તેને ખાઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હો તો એક લીંબુ ચુસી લો. તેની અસર ઘટી જશે.
- મધને ક્યારેય ગરમ કરી ઉપયોગ ન કરો. પાણી ગરમ કરી તેમાં મધ ઉમેરો પણ મધને ગેસ પર મુકશો નહીં.
- માંસ, માછલીની સાથે મધનું સેવન ઝેર સમાન છે.
- મધમાં પાણી કે દૂધની બરાબર માત્રા પણ હાનિકારક છે.
- ખાંડની સાથે મધ ભેળવવું એ અમૃતમાં ઝેર ભેળવવા સમાન છે.
- ઠંડીમાં મધને નવશેકા દૂધ કે પાણીમાં લેવું જોઇએ.
- એક સાથે વધારે માત્રામાં મધ ના લો. આમ કરવું નુકસાનકારક હોય છે. મધ દિવસમાં બે કે ત્રણ વાર એક ચમચી લો.
- ઘી, તેલ, માખણમાં મધનો ઉપયોગ વિષ સમાન છે.
No comments:
Post a Comment